પુસ્તક પરબ

દર રવિવારે જૂનાગઢના મોતીબાગમાં ‘પુસ્તક પરબ’નું આયોજન કરવામાં આવે છે. અહીં સંસ્થાના કાર્યકરો પુસ્તકો ગોઠવે છે, અને વોકિંગ માટે આવતા વડીલો, વિદ્યાર્થીઓ, યુવાનો તથા બાળકો નિઃશુલ્ક પુસ્તકો ઘરે લઈ જઈ વાંચી શકે છે. આ પ્રવૃત્તિ વાંચનને લોકસહભાગી ઉત્સવરૂપે રૂપાંતરિત કરે છે.